વડાપ્રઘાન નરેન્દ્ર મોદીને હવે ગુજરાતની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતની જનતા પાર પ્રેમ ઉભરાયો છે. મધ્યગુજરાત પાર 2002થી પકડ મેળવ્યા પછી એમનો પ્રેમ વડનગરથી યુ -ટર્ન લઇ સીધો વડોદરા પહોંચી ગયો છે.
પાટીદારોને બગલમાં બેસાડવાનો પ્લાન નિષ્ફળ જતા હવે ભાજપ પર સોશિઅલ મીડિયામાં મોટાપાયે પસ્તાળ વર્તાઈ રહી છે એવામાં વડાપ્રધાન અચાનક વડોદરાના એમના કહેવાતા મિત્ર ગોપાલ સાથે ફોન પાર વાત કરે છે અને એમને સલાહ આપે છે કે ,”ભાઈ વોટ્સએપ પાર તો ભાજપ વિરુદ્ધ પ્રચાર ચાલવાનોજ છે ધ્યાન નહિ આપવાનું”
વડાપ્રધાનમાંથી સલાહકાર થઈ ગયેલા નરેન્દ્ર મોદી પોતાની વાતમાં 2007ની ચૂંટણીમાં ટ્રમ્પકાર્ડ સાબિત થયેલો સોનિયા ગાંધીનો શબ્દ મોતના સૌદાગરને યાદ આપવાનું ભૂલ્યા નથી. મોદીના આ શબ્દને લોકોને ફરી યાદ અપાવવા માટે ગુજરાતના વડોદરાના ગોયપાલ સાથેનો ઓડીઓ મોડી રાત્રે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા વાયરલ કરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ રાત્રે પાટીદારોના વિરોધને ખાળવા વરુણ પટેલ અને રેશ્મા પટેલે બોલાવેલી પત્રકાર પરિષદમાં પાટીદારોએ હોબાળો કર્યો અને પાટીદારોમાં વિરોધ ઉભો થયા પછી અચાનક આ ઓડીઓ મોડીરાતથી વોટ્સએપ પાર વાયરલ થયો છે. મોદીભક્તોએ આ ઓડિયોમાં મોતના સૌદાગર શબ્દને ધ્યાનમાં રાખી આ ઓડીઓ વાયરલ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. રાજકિય પંડિતોનું માનવું છે કે ગુજરાતમાં જ રીટા જ્ઞાતિઓનું ધ્રુવીકરણ થઇ રહ્યું છે એ જોતા ફરી એકવાર ગુજરાતમાં હિન્દુત્વની લહેર ઉભી કરવા આ પ્રયાસ થઇ રહ્યો છે પરંતુ આ કેટલો કારગર નીવડે છે એ આવનારો સમયજ કહેશે પરંતુ કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે કોઈનો ફોન ટેપ કરવો અને વાયરલ કરવો એ કાનૂની જુલ્મ છે તો આ ફોને મોદી કમ ભક્ત ગોપાલે ટેપ કરીને વાયરલ કર્યો કે બીજાએ એ તપાસનો વિષય છે કારણકે ભૂતકાળમાં વડાપ્રધાન ચન્દ્રશેખરની સરકાર પાર પણ તલવાર લટકી હતી, પરંતુ ભાજપની છત્રછાયામાં આવા પગલાં ભરાયતો સત્યનો વિજય થાય છે. એ મોદીઉક્ત સાચી પડી ગણાશે।