વિશ્વ હિંદૂ પરિષદના નેતા પ્રવિણ તોગડિયા અચાનક ગાયબ થઇ ગયા હતી. આજે તેમણે પોતાના ગાયબ થવાના રાજ ખોલ્યા હતા. તેમણે કહ્યુ કે કેટલાક સમયથી મારો અવાજ દબાવવાની કોશીશ થઇ રહી છે. તોગડિયાના આ અવાજ પછી પ્રધાનમંત્રીની સાથે તેમના ખટકાવ ભર્યા સંબંધોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. બંનેના સંબંધોમાં છેલ્લા 15 વર્ષોથી કડવાસ ચાલી રહી છે.
કહેવામાં આવે છે એક સમયે એક સાથે એક સ્કુટરમાંં ફરવા વાળા મોદી અને તોગડિયાની વચ્ચે આ કડવાસ 2002થી શરૂ થઇ છે જ્યારે મોદી ગુજરાતના સીએમ બન્યા હતા ત્યારથી બંને વચ્ચે દરાર આવી ગઇ છે. મોદી સરકાર તરફથી સાઇડલાઇટ આપ્યા બાદ તોગડિયા નારાજ થઇ ગયા હતા. આ વિવાદ ત્યારથી વધુ થયો જ્યારથી ગુજરાત સરકારના વિકાસ કાર્યો માટે ગાંઘીનગરમાંં મંદિરોને હટાવવામાં આવ્યા.
બંને વચ્ચે બીજીવખત ત્યારે કડવાસ આવી જ્યારે મોહમ્મદ અલી જીન્ના ઉપર લાલ કૃષ્ણ અડવાણીએ વ્યક્તવ્ય આપ્યા પછી વીએચપીના કાર્યકર્તાઓએ પુરા વિસ્તારમાં પોતાનું પ્રદર્શન કર્યુ. આ પ્રદર્શન ઉપર ગુજરાત સરકારે કડક કાર્યવાહી કરી અને વીએચપીના કાર્યકર્તાઓ પર અમલીકરણ કરવામાં આવ્યું
મોદીએ વર્ષ 2011માં મુસલમાનો માટે સદ્ભાવના સભા કરી હતી. આ સભાની તોગડિયાએ પેટ ભરી મજાક ઉડાવી હતી તેમણે કહ્યુ કે મોદીએ પોતાની છબી બદલવા માટે હિંદુ જાતીનો ત્યાગ કરી દીધો.