રાજ્યની નવ રચીત સરકારમાં મંત્રીઓને ખાતા ફાળવાઈ ગયા છે કેટલાક મંત્રીઓએ કાર્યરત થતા પહેલા પોતાના મતવિસ્તારની મુલાકાત લીધી હતી તો કેટલાક મંત્રીઓએ પૂજન બાદ કાર્યભાર સંભાળ્યો હતો. રાજ્યના ગૃહરાજ્યમંત્રી તરીકેની જવાબદારી પ્રદિપસિંહ જાડેજાના શીરે આવી છે. આ જવાબદારી તેઓ અગાઉ પણ સંભાળી ચૂક્યા છે. તેની કામગીરી શરૂ કરતા પૂર્વે તેઓએ પૂજા કરી હતી.
રાજ્યની નવી સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે ઊર્જા તેમજ નાણા પ્રધાન બનેલા સૌરભ પટેલે પોતાના મતવિસ્તારમાં આવેલા સાળંગપુર હનુમાન તેમજ BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ભરૂચના ઇશ્વરભાઈ પટેલની રાજ્યના રમતગમત, યુવક અને સાંસ્કૃતિક મંત્રી તેમજ રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી તરીકેની વરણી કરવામાં આવી હતી. કાર્યકરોએ ફટાકડા ફોડીને તેમજ પુષ્પગુચ્છ આપીને ઇશ્વરભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું.
સુરતના કિશોર કાનાણીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઉપરાંત તબીબી શિક્ષણનો હવાલો પણ સંભાળશે. કુમાર કાનાણી મંત્રી બન્યા બાદ સુરત પરત ફરતા કાર્યકરોએ પુષ્પગુચ્છથી વધાવી લીધા હતા. તેઓ કાર્યલયે પહોંચ્યા ત્યારે એક રોડ શો પણ યોજાયો હતો.
અામ નવા મંત્રીઓએ કાર્યભાર સંભાળતા પહેલા કોઇએ અાસ્થાના ભાગ રૂપે તો કોઈએ પરંપરાના ભાગ રૂપે ભગવાનના ચરણોમાં મસ્તક નમાવ્યું હતું


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.