લોકસભા ચૂંટણી પહેલા તમામ મોટો નેતાઓને ચૂંટણી જનસભાઓ શરૂ કરી દીધી છે અને આ સંબંધમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાકી નેતાઓથી આગળ છે. તેઓ તાબડતોબ ચૂંટણી સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટના ગઢમાં પીએ મોદીએ વિજય સંકલ્પ રેલી કરી. ભાજપે રાજ્યમાં લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કર્યા અને પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી.
વડાપ્રધાને જણાવ્યું કે રાજસ્થાનના ફોજી ભાઇઓને યાદ હશે કે કેવી રેતી 40 વર્ષ સુધી તેમણે વન રેન્ક વન પેન્શન પર ખોટા વાયદાઓ કરવામાં આવ્યા. આજે જવાનોની શહીદી પર આંસૂ વહાવનારાના મોં પર આવી વાતો શોભા નથી આપતી. અમારી સરકારે વન રેન્ક વન પેન્શ લાગૂ કર્યું. 20 લાખ પૂર્વ ફોજીઓને અંદાજિત 11,000 કરોડ રૂપિયાના એરિયર પણ આવી દીધા. આ કામ એટલા માટે થયું, કારણ કે મોદી છે તો સંભવ છે
.પુલવામા હુમલાના શહીદોના પરિવારજનોની મદદ માટે પ્રત્યેક ભારતીય સાથે ઉભા છે. પરંતુ મુઠ્ઠીભર લોકો પર અફસોસ થાય છે જે ભારતમાં રહે છે છતા પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. આ તે લોકો છે જે પાકિસ્તાન જઇને કહે છે કંઇ પણ કરો પરંતુ મોદીને હટાવો. આ એજ લોકો છે જે મુંબઇ હુમલા બાદ આતંકવાદને જવાબ ન આપી શક્યા. એવા લોકો ન દેશના જવાનના છે અને ન તો દેશના ખેડૂત છે. આ લોકોએ કહ્યું હતું કે 10 દિવસની અંદર રાજસ્થાનના ખેડૂતો દેવામાફી કરશે. પરંતુ ક્યા વાયદા અનુસાર દેવામાફી થઇ.