વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના કર્ણાટકના પ્રવાસે છે.રવિવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૈસુર પહોંચ્યા, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમને એરપોર્ટ પર અાવકાર્યા.આજે શ્રવણબેલગોલામાં ભગવાન બાહુબલીના મહાઅભિષેકમાં હાજરી અાપશે.આ ઉપરાંત, વડાપ્રધાન રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટ્સ શરૂ કરાવશે.છેલ્લાં 15 દિવસમાં મોદીની કર્ણાટકની બીજી મુલાકાત છે તેઓ 4 ફેબ્રુઆરીએ બેંગલુરુ ગયા હતા. કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે.
આજે પીએમ મોદી મૈસુરથી 85 કિલોમીટર દૂર આવેલા શ્રવણબેલગોલામાં જૈન દેવતા ગોમતેશ્વરના અભિષેક સમારંભમાં ભાગ લેવા માટે હેલિકોપ્ટરથી જશે.બપોરે, વડાપ્રધાન મોદી 140 કિલોમીટર લાંબા વીજળીકૃત બેગલુરુ-મૈસૂર રેલ માર્ગનું ઉદ્ઘાટન કરશે.હમસફર એક્સપ્રેસ ટ્રેન જે રાજસ્થાનમાં મૈસુરથી ઉદયપુરચાલે છે, તેને લીલી ઝંડી બતાવશે.આ પછી, સાંજે 4 વાગ્યે, મહારાજા ગ્રાઉન્ડ મૈસૂરમાં ભાજપની રેલીને સંબોધિત કરશે.લગભગ 6 કલાકે, વડા પ્રધાન મોદી મૈસૂરથી નવી દિલ્હી જવા રવાના થશે.