ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા લોકસભાની ચૂંટણીમાં કોગ્રેસના નેતાઓને લુખ્ખા અને હરામજાદા કહ્યા બાદ સુરત કોંગ્રેસ પ્રમુખે વળતી રીતે જવાબ આપી હરામખોર અને નાગા કહ્યા હતા. ફરી એક વાર સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ રૂપાલાના નિવેદનનો આગ ઝરતો જવાબ આપ્યો હતો.
લોકસભાનો ચૂંટણી પ્રચાર હવે ચરિત્રહનન સુધી પહોંચી ગયું છે. નેતાઓ એકબીજાને નીચે પાડવા સુધીના નિવેદનો કરી રહ્યા છે અને જાહેરમાં એકબીજાના કપડા ઉતારવા માંડ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે, આનો દાખલો સુરતમાં જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પંચમહાલમાં નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસીઓને પેશાબ થઈ જાય છે. પુરુષોત્તમ રૂપાલાના નિવેદન અંગે આજે સુરતમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલા યુવા શક્તિ કાર્યક્રમમાં સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ રૂપાલા અંગે વિવાદાસ્પદ નિવેદન આપી તેમના પર મોટો હુમલો કર્યો હતો.
સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ કહ્યું કે ભાજપના નેતાઓ કોઈને હરામખોર કહે છે, કોઈને ગદ્દાર કહે છે.આ પુરુષોત્તમ રૂપાલા ગઈકાલે પંચમહાલમાં કહ્યું કે કોંગ્રેસીઓને ભલે પથારીમાં પેશાબ થઈ જાય છે. અરે, પુરુષોત્તમ રૂપાલા જરા ભાનમાં વાત કરો. કોંગ્રેસીઓ માટે જે વાત કરી શકો છો એટલી ખરાબ વાત કોંગ્રેસ કરી શકે છે. પરંતુ અમારામાં સંસ્કાર છે. કોંગ્રેસીએની પથારીમાં પેશાબ કરવાની વાત કરો છો, પુરુષોત્તમ રૂપાલા, તમે કેટલી પથારીઓ ગરમ કરી છે તેનું ભાન છે? નરેન્દ્ર મોદી અને અમિત શાહને સમજાવો કે કેવાં કેરેક્ટરના માણસ છે.
સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાના વિવાદાસ્પદ નિવેદનથી ભાજપ સહિત રાજકીય વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકસભાની ચૂંટણીના પ્રચારમાં નિવેદનબાજીનું સ્તર તળીયે જઈ રહ્યું હોવાનો સૂર પણ ઉઠી રહ્યો છે.