કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના યવતમાલમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો છે. રાહુલે કહ્યુ કે નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ખોટુ બોલીને આવે છે.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર એ આરોપ લગાવ્યો કે ખાતામાં 15 લાખ રૂપિયા ક્યાં આવ્યા? સાથે જ ખેડૂતોના ખાતામાં આવનારા પૈસાનો પણ ઉલ્લેખ કર્યો. રાહુલે કહ્યુ લોકસભા ચૂંટણીના સમયે નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે દરેક બેન્ક ખાતામાં 6 હજાર રૂપિયા નાખવામાં આવશે. તે પહેલા ચૂંટણીમાં કહ્યુ હતુ કે ખાતામાં 15 લાખ રૂપિયા નાખવામાં આવશે પરંતુ શુ મળશે? જ્યાં પણ નરેન્દ્ર મોદી જાય છે, કંઈ ને કંઈ ખોટુ બોલીને આવીને જાય છે.
ભાજપના ચૂંટણી વચનો પર રાહુલ ગાંધીએ મોદીને ઘેર્યા
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે તે વિદેશથી કાળુધન પાછુ લાવશે અને ત્યાં એટલુ કાળુધન છે કે દરેક દેશવાસીના ખાતામાં 15 લાખ રૂપિયા આવી જશે.
ભાજપના આ નારાને આધાર બનાવીને કોંગ્રેસ હંમેશા તેને ઘેરતી રહી છે અને ખોટા વચનોનો કરવાનો આરોપ લગાવતી રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા મોકલવાનું વચન આપ્યુ છે. રાહુલ ગાંધીએ આ બે મુદ્દા પર ભાજપને ઘેરતા મોદી પર ખોટા આરોપ લગાવ્યા છે.
રાહુલ ગાંધીએ રેલીમાં એ પણ કહ્યુ કે નરેન્દ્ર મોદી તમારૂ ધ્યાન યોગ્ય મુદ્દા પરથી દૂર લઈ જાય છે. તે ક્યારેક ચંદ્રની વાત કરશે, ક્યારેક 370ની વાત કરશે, ક્યારેક કૉર્બેટ પાર્કમાં પિક્ચર બનાવશે પરંતુ જે આપના મુદ્દા છે તેના વિશે મોદી એક શબ્દ બોલશે નહીં.