ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કેન્દ્ર તરફથી મોદી સરકાર પર ટ્વિટરના માધ્યમથી અેક પછી અેક સવાલો તાકી નીશાન તાક્યું હતું. અાજે ફરી અેક વાર રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર તાક્યું નીશાન. રાહુલ ગાંધીએ લોકપાલ મુદે નરેન્દ્ર મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.રાહુલ ગાંધીએ ટ્વિટ કરી સવાલ કર્યો હતો કે ચાર વર્ષ વીતવા છતા, લોકતંત્રની દુહાઈ અાપનાર જવાબદારીઓથી કેમ નાસી રહ્યા છે. લોકપાલ મુદે ચૂપ કેમ છે?
અાપને જણાવી દઈઅેકે,રાહુલ ગાંધીએ ગયા વર્ષે પણ આ મુદ્દે સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે કેન્દ્ર સરકારમાં લોકપાલની નિમણૂક શા માટે કરતા નથી?તેમણે ટ્વિટ કર્યું હતું કે ‘કહેતા હતા અાપશું જવાબદાર સરકાર, તો લોકપાલને દરકિનાર કેમ કર્યા? જીએસપીસી, વિજળી-મેટ્રો કૌભાંડ, શહેજાદા પર ચૂપ્પી કેમ હરબાર, મિત્રોની જેબ ભરવાનો છે કારોબાર, લાંબી છે યાદી અને ‘મૌનસાહબ’ પાસેથી જવાબ આપવાની દરકાર, અચ્છે દીનકે લીયે બનાઈ સરકાર? ‘
મોદી સરકારે 27 જુલાઈ 2016મા સંસદમાં એક સંશોધન રજૂ કર્યુ, જેનો સમાજસેવક અન્ના હઝારેએ વિરોધ કર્યો હતો, ત્યારે કહ્યું હતું કે આ લોકપાલ અધિનિયમ વધારે કમજોર થઈ ગયું છે. તે મુજબ સરકારી અધિકારીઓના પરિજનોની (પત્ની, પુત્ર, પુત્રી અને અન્ય) દરેક વર્ષે સંપત્તિની માહિતી આપવાની જરૂર નથી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.