કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહ્યુ કે, નાથૂરામ ગોડસે અંગે પીએમ મોદી અને અમિત શાહ ભાજપનું વલણ સ્પષ્ટ કરે. ભાજપ નાથૂરામ ગોડસેને રાષ્ટ્રવાદી કે હત્યારો સમજે છે?. જેથી આ મામલે પણ તેમણે સ્પષ્ટતા આપવી જોઈએ. નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળીમારી હત્યા કરી હતી.
‘નાથુરામ ગોડસે દેશભક્ત કે હત્યારો ?’
દિગ્વિજયસિંહે કહ્યુ કે, ભાજપના નેતાઓ ગાંધીજીની 150મી જન્મજયંતીએ સંકલ્પ યાત્રા કાઢી રહ્યા છે. પરંતુ ભાજપે સ્પષ્ટ કરવુ જોઈએ કે, નાથૂરામ ગોડસે દેશભક્ત હતો કે, હત્યારો આ પહેલા પણ રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે જણાવ્યુ હતુ કે, ભાજપ અને સંઘ ગાંધીજીના મુલ્યોનુ અપમાન કરી રહ્યા છે. ભાજપે દેશમાં ગાંધીના વિચાર અંગે ખોટી માહિતી ફેલાવી છે. મહત્વપૂર્ણ છે કે, ભાજપ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર દેશભરમાં પદયાત્રાનું આયોજન કરી રહી છે. જેથી ભાજપ કોંગ્રેસના નિશાને છે.
દિગ્વિજયસિંહે ભાજપ અને સંઘ પર કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ફરીવાર ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, ભાજપ અને બજરંગ દળના લોકો પૈસા લઈને આઈએસઆઈ માટે જાસુસી કરે છે. આ લોકો જાસુસી કરતા ઝડપાઈ પણ ગયા છે અને ભાજપના રાજમાં તેમને જામીન પણ મળી ગયા છે.
ભાજપ પાકિસ્તાન વિરૂદ્ધ લડાઈ અને રાષ્ટ્રવાદનો સંદેશ આપે છે
દિગ્વિજયસિંહે કહ્યુ કે, ભાજપ પાકિસ્તાન વિરૂદ્ધ લડાઈ અને રાષ્ટ્રવાદનો સંદેશ આપે છે. અને બીજી બાજુ ભાજપના અને બજરંગદળના નેતાઓ જાસુસી કરે છે. જેથી આ મામલે ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કરવુ જોઈએ. આ પહેલા પણ દિગ્વિજયસિંહે ભાજપના નેતા પર જાસુસીનો આરોપ લગાવ્યો હતો. જેથી ભાજપ દ્વારા તેમનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.