વલસાડ ભાજપમાં ઉકળતો ચરુ: ડીસી પટેલનો લડાયક મિજાજ, કેસી બોલ્યા “ડીસી રાજકારણમાં સક્રીય નથી”વલસાડની એસટી લોકસભા બેઠક પર ડો.કેસી પટેલને રિપીટ કરાતા તેમના નાના ભાઈ ડો. ડીસી પટેલે નારાજ થયા છે અને તેમણે મીડિયામાં ભાજપનો પ્રચાર નહીં કરવાની જાહેરાત કરતાં જ વલસાજ ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
નાના ભાઈની નારાજગી અંગે સાંસદ કેસી પટેલને પૂછવામાં આવતા તેમણે પ્રતિક્રીયા આપી હતી. કેસી પટેલે કહ્યું કે ડીસી પટેલે મારા નાના ભાઈ છે અને તેઓ રાજકારણમાં સક્રીય નથી. અત્યાર સુધી તેમની સાથે મારી કોઈ વાતચીત થઈ નથી. પાર્ટીના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ શું કરવું જોઈએ તે અંગે નિર્ણય લેવામાં આવશે. બધાને ખબર જ છે કે કોણ કેટલું સક્રીય છે અને કેવી રીતે કામ કરે છે.
ગણપત વસાવા વલસાડ પહોંચ્યા અંગે કેસી પટેલને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે આ અંગે મને કોઈ જાણકારી નથી. નાનો ભાઈ છે અને પાર્ટી લેવલ પર કોઈ સમાધાનની વાત થતી હશે પરંતુ મારી જાણમાં નથી.આ પહેલાં ડીસી પટેલ ભાજપના વ્હોટ્સ અપ ગ્રુપમાંથી લેફ્ટ થવાનો નિર્ણય કર્યો હતો અને તેઓ બધા ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા હતા. ત્યાર બાદ ડીસી પટેલે કહ્યું હતું કે ‘જો કોંગ્રેસ મારો સંપર્ક કરશે તો હું ચોક્કસ વિચારીશ. મેં હજુ સુધી કોંગ્રેસનો સંપર્ક કર્યો નથી. સમર્થકો કહેશે તો ચોક્કસપણ હું વિચારીશ. ડો.
ડી.સી. પટેલે કહ્યું ‘હું એટલો હતાશ થઈ ગયો છું. હું જનસંઘથી ભાજપનો કાર્યકર છું. પ્રજાની લાગણી હતી. મારુ નામ ટોપ પર હતો. મારી લાગણીને ચકનાચૂર કરી નાખી છે. પ્રજા કહેશે તો ચોક્કસ વિચારીશ. કોંગ્રેસ આદેશ આપે તો પ્રજાજનો પાસે જઈને અને આ બાબતે વિચાર કરીશ. હું સામેથી સંપર્ક નહીં કરૂ, હું એ બાબતે કઈ કહેવા નથી માગતો.તેમણે કહ્યું હતું કે મારા કાર્યકરોને વિશ્વાસ હતો કે આ વખતે ટીકીટ મને આપવામાં આવશે પરંતુ એવું કરવામાં આવ્યું નથી. આવનાર દિવસોમાં શું કરવું તે અંગે નિર્ણય લેવામાં આવશે.