કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેસેલા પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે, હું મારો જીવ આપવા તૈયાર છું પરંતુ સમજુતિ નહી કરીશ. તેમણે કહ્યું, જ્યારે લોકો રસ્તાઓ પર TMCના નેતાઓને અને કાર્યકર્તાઓને પરેશાન કરી રહ્યાં હતા ત્યારે હું રસ્તા પર નહોતી આવી. પરંતુ આ વખતે કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારનું અપમાન થયું તેથી અમને ગુસ્સો આવ્યો અમે તેના વિરોધમાં ધરણાં પર બેસ્યા છીએ.
તેમણે કહ્યું કે, અમે કોલકત્તા પોલીસ કમિશ્નરનું અપમાન સહન નહી કરી શકીશું કારણ કે, તેઓ રાજ્યના મુખ્યપોલીસ અધિકારી છે અને જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી સમજુતી નહી કરીશું. ઉલ્લેખનિય છે કે, મમતા કાલથી જ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા પર બેસી છે. આજે આ મામલે સંસદના બંન્ન સદનમાં હોબાળો પણ થયો હતો.