મોદી-શાહના ભાજપે આ વખતે આડવાણીજીને ટિકીટ ન આપી અને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ બહાર કરી દીધા. અડવાણીની બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડશે. એવામાં અડવાણીને લઈને પાર્ટીમાં અંદરોઅંદર જ ઘણાં સવાલો ઉભા થઈ રહ્યાં છે.
કહેવાઈ રહ્યું છે કે ચૂંટણી જીતી જશે તો રાજ્યસભાની સીટ ખાલી થશે, તેના પર લાલકૃષ્ણ અડવાણીને ઉચ્ચ સદનમાં મોકલી દેવાશે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેમના દીકરી પ્રતિભા અડવાણીને તે સીટ પરથી રાજ્યસભામાં મોકલી શકાય. પરંતુ કદાચ અડવાણીજી ખુદ તેના માટે તૈયાર ન થાય.
લાલકૃષ્ણ અડવાણીના સંસદીય જીવનની શરૂઆત રાજ્યસભાથી થઈ હતી. તેઓ પહેલી વાર 1970માં દિલ્હીની રાજ્યસભાના સભ્ય તરીકે પસંદગી પામ્યા અને 6 વર્ષ સુધી ઉચ્ચ સદનમાં રહ્યા. તો ઘણાં જાણકારોનું એમ પણ કહેવું છે કે તેમના સંસદીય જીવનનો અંત પણ રાજ્યસભામાં સંસદ તરીકે થશે.