Rahul Gandhi રાહુલ ગાંધી આજે લખનૌની ખાસ કોર્ટે હાજર રહેશે: ભારત જોડો યાત્રાના વિવાદિત નિવેદન મામલે સમન્સ
Rahul Gandhi કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મંગળવારે લખનૌની ખાસ સાંસદ-ધારાસભ્ય કોર્ટે હાજર રહેશે. આ મામલો ભારત જોડો યાત્રા દરમિયાન આપેલા એક વિવાદિત નિવેદનથી જોડાયેલો છે, જેમાં તેમણે ભારતીય સૈનિકોને લઇને ઉલ્લેખ કર્યો હતો કે “ચીની સૈનિકોએ આપણા સૈનિકોને માર્યા હતા અને કોઈએ એ વિશે પ્રશ્ન ન કર્યો.”
આ માનહાનિ કેસમાં દાખલ થયેલી ફરિયાદની નોંધ લેતા સાંસદો અને ધારાસભ્યો માટેની ખાસ કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને આરોપી તરીકે સમન્સ પાઠવ્યા છે. રાહુલ ગાંધીએ આ સમન્સ સામે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી પરંતુ તેમને ત્યાંથી કોઈ રાહત મળી ન હતી.
૬ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ તેમની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન
રાહુલ ગાંધીએ વિવિધ મીડિયાકર્મીઓ અને જનતાને સંબોધિત કરતી વખતે, ૯ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ અરુણાચલ પ્રદેશની સરહદ પર ભારતીય સેના અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે “લોકો ભારત જોડો યાત્રા વિશે પૂછશે, પરંતુ ચીની સૈનિકો દ્વારા આપણા સૈનિકોને માર મારવા વિશે એક વાર પણ પૂછશે નહીં.”
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીના આ નિવેદનથી ફરિયાદીને દુઃખ થયું છે. ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ફરિયાદની સુનાવણી કર્યા પછી, ખાસ કોર્ટે માનહાનિના આરોપસર રાહુલ ગાંધીને સમન્સ પાઠવવાનો આદેશ આપ્યો હતો.
રાહુલ ગાંધીના વકીલ પ્રાંશુ અગ્રવાલે જણાવ્યું કે આજે કોર્ટમાં હાજરી બાદ જામીન માટે અરજી કરવામાં આવશે.