ગુજરાતના પવિત્ર તીર્થધામ દ્વારકા જગતમંદિર ખાતે પ્રથમવાર છ ધ્વજાનું આરોહણ થતાં ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના પવિત્ર તીર્થધામ દ્વારકા જગતમંદિર ખાતે અત્યારસુધીના ઈતિહાસમાં પ્રથમ વખત છ ધજા ચડાવવામાં આવી હતી.
આમતો જગત મંદિરે દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે, પરંતુ બિપરજોય વાવાઝોડા દરમિયાન જે પણ ભક્તોની ધ્વજાનું આરોહણ થયું નહોતું તે ભક્તોની ધ્વજાનું આરોહણ ગઈકાલથી શરુ કરવામાં આવ્યું.હવે 15 દિવસ દરમિયાન 5ને બદલે 6 ધ્વજાનું આરોહણ જગતમંદિરના શિખર ઉપર કરવામાં આવશે.
જગતમંદિર ધ્વજારોહણ સમિતિના આ નિર્ણયથી ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
આ નિર્ણયને પગલે આજથી ફક્ત પંદર દિવસ જ નહીં, પરંતુ કાયમી ધોરણે 6 ધ્વજા ચડાવવામાં આવે તો વધુ ભક્તોને ધ્વજારોહણનો લાભ મળી શકે એવી ભક્તોની નમ્ર માંગણી છે.થોડા દિવસ અગાઉ આવેલા બિપરજોય વાવાઝોડા દરમિયાન દ્વારકા જગતમંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત વાવાઝોડા સમય દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં લઈ ધ્વજારોહણ કરવામાં આવ્યું નહોતું, જેથી કરીને એ સમય દરમિયાન જે પણ ભક્તોની ધ્વજાનું આરોહણ થયું નહોતું તેવા ભક્તોનું સોમવારથી ધ્વજારોહણ કરવાનો નિર્ણય જગતમંદિર ધ્વજારોહણ સમિતિ દ્વારા કરવામાં આવતા ભક્તોમાં આનંદ ની લાગણી પ્રસરી જવા પામી છે.