ગોંડલના 1008 મહામંડલેશ્વર હરિચારણદાસજી મહારાજનો દેહાંત થઈ ગયો છે,આ સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં ભક્તો અંતિમ દર્શન માટે ઉમટી રહયા છે.
ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર હરિચારણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. બાપુનું નિધન થતા ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચી રહયા છે.
8 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યાબાદ ગોરા આશ્રમમાં લઇ જવામાં આવશે,જ્યાં અંતિમ વિધિ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.