જેતપુરના ઐતિહાસિક કિલ્લાની દીવાલ જૂના મકાન ઉપર પડતા બે બાળકો સહિત ત્રણના મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
જેતપુરના ગોદરા વિસ્તારમાં વર્ષો જૂના પૌરાણિક કિલ્લાની દીવાલની રાંગની દીવાલ ધસી પડતાં કિલ્લા નીચે બનેલા જુના મકાન ઉપર પડતાં અંદાજે 100 વર્ષ જૂનાં મકાન ધરાશાયી થતાં મકાનમાં રહેલી 8 વ્યક્તિ દટાઈ જતા તે પૈકી એક મહિલા અને બે બાળકીનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
મૃતકોમાં જયાબેન રાજુભાઈ મકવાણા (ઉં.વ. 50) તેમજ બે બાળકી મેઘના અશોકભાઈ મકવાણા (ઉં.વ.10) અને સિદ્ધિ વિક્રમભાઈ સાસડા (ઉં.વ.7)નો સમાવેશ થાય છે.
જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં વંદના અશોકભાઈ મકવાણા (ઉં.વ.14), શીતલબેન વિક્રમભાઈ સાસડા (ઉં.વ.30), કરસનભાઇ દાનાભાઈ સાસડા (ઉં.વ.40), રિદ્ધિ વિક્રમભાઈ સાસડા (ઉં.વ.8), અશોકભાઈ રાજુભાઈ મકવાણા (ઉં.વ 33)નો સમાવેશ થાય છે.
હાલ તમામ લોકોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.