રાજ્યમાં પેપર લીક સહિતના કૌભાંડોને બહાર લાવનાર યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ભાવનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હોય જેના વિરોધમાં ગોંડલના સર્વે જ્ઞાતિના આગેવાનો, યુવાનો, વાલીઓ સમાજના વડાઓ દ્વારા બનેલા સરકારી ભરતી યોજના રજૂઆત સમિતિ દ્વારા યુવરાજસિંહનાં સમર્થનમાં આવેદન પત્ર અપાયું હતું.
યુવરાજસિંહ ઉપર ખોટી રીતે બનાવટી આક્ષેપો ઉભા કરી જો ફસાવવાની કોશિશ થતી હોય તો એની સામે વિરોધ દર્શાવી સૌ યુવરાજસિંહની સાચી, સારી બાબતોની સાથે હોવાની વાત કરી અને ભવિષ્યમાં જે કૌભાંડો કરે છે તેને સજા આપવી, ખોટા માણસોને પકડી, તેને દૂર કરવા માગણી કરી છે.