રાજકોટના વીછિંયા તાલુકામાં એક તાંત્રિકવિધિની ઘટના પ્રકાશમાં આવી છે અને પતિ-પત્નીએ હવનકુંડમાં પોતાના મસ્તકની આહુતિ આપી દેતા ચકચાર મચી ગઇ છે, આ અંગેની વિગત પણ સુસાઈડ નોટમાં આપી છે જેમાં બંનેની બે પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે.
વિગતો મુજબ વીંછિયાના હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ રાત્રે તાંત્રિક વિધિ કર્યાબાદ બંનેએ કમળ પૂજા કરી દીધી હતી. રાતે તાંત્રિક વિધિની પૂજા કરીને હવનમાં કુંડમાં મસ્તક હોમી દીધા હોવાની વાત જાણવા મળી છે. જોકે,હજુ આ મામલે કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી.
પતિ-પત્નીએ હવનકુંડમાં કમળપૂજા કર્યાના બનાવમાં બે સુસાઈડ નોટ પણ મળી હોવાનું કહેવાય છે.
આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.
આ ઘટના અંગે મૃતકના પિતાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી દંપત્તિ તાંત્રિક વિધિ કરતુ હતું. તાંત્રિક વિધિ કરીને બંનેએ પોતાના મસ્તક હવન કુંડમાં હોમી દીધા હતા. તાંત્રિક વિધિની આગલી રાતે દંપત્તિ તેઓના બાળકોને મામાના ઘરે મૂકી આવ્યા હોવાની હકીકત સામે આવી છે.
વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્નેએ મસ્તક હવન કુંડમાં હોમી દેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. પતિ પત્નીની બન્નેની બે સુસાઈડ નોટ પણ ટીંગાળેલી હતી સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ મળી આવ્યો હતો.