રાજકોટમાં આજે વહેલી સવારથી IT વિભાગ દ્વારા બે જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સના બંગલા અને શોરૂમ સહિત આશરે 18 જેટલા સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરાતા વેપારીઓ તેમજ બિલ્ડરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
રાજકોટમાં બંને જ્વેલર્સના પેલેસ રોડ પર સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ, અમીન માર્ગ ઉપર આવેલા શોરૂમ પર તપાસ કરવામાં આવી રહી છે.
ઉપરાંત રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ એપાર્ટમેન્ટનાં પાંચમા માળે આવેલા ફ્લેટ અને પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
એટલાન્ટિસ એપાર્ટમેન્ટનાં આઠમા માળે ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ છે.
જ્યારે રાધિકા જ્વેલર્સ વાળા અશોકભાઈ અને હરેશભાઈ બાબરાવાળાને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.