ગુજરાત સહિત સમગ્ર દેશમાં શ્રી હનુમાનજી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
શ્રી હનુમાનજી જયંતિ અવસરે રાજકોટના રામનાથપરા ખાતેથી ચાર કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરાયું હતુ દરમિયાન શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વહેલી સવારથી શોભાયાત્રાના રૂટ ઉપર સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચસ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતના અધિકારીઓ તેમજ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ સાથે શોભાયાત્રાના સમગ્ર રૂટ ઉપર ડ્રોનકેમેરા તેમજ સીસીટીવીની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.
ભક્તો દ્વારા ઠેર પુષ્પવર્ષા કરી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રામાં કેટલાક મુસ્લિમ બિરાદરો પણ જોડાતા કોમી એખલાસનું વાતાવરણ પણ જોવા મળ્યું હતુ.
આજે દેશભરમાં ચૈત્ર સુદ પૂર્ણિમા અંતર્ગત હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેરઠેર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.