રાજ્ય માં વિધાનસભા ની ચુંટણીઓ અગાઉ રાજકીય માહોલ ગરમાયો છે અને જ્ઞાતિ આધારિત સમીકરણો ગોઠવાઈ રહયા છે.
એક તરફ પાટીદાર સમાજ પોતાની સંગઠન શક્તિ બતાવી રહ્યો છે તો બીજી તરફ કોળી સમાજે પણ ચૂંટણીઓ પહેલા રાજકીય પક્ષોને પોતાની બહુમતી ની તાકાત નો પરચો બતાવવા સંમેલન ચાલુ કરી દીધા છે.
રાજકોટમાં પૂર્વે કેબીનેટ પ્રધાન અને ભાજપનાં નેતા કુંવરજી બાવળીયાની હાજરીમાં ગતરોજ મળેલા કોળી સંમેલનમાં રાજકીય રીતે સમાજને અન્યાય થશે તો સાંખી નહિ લે તેવામાં નહિ આવે તેવો એકી અવાજે સુર ઉઠતા હવે અન્ય જ્ઞાતિઓ પણ ધીરેધીરે સક્રિય થઈ છે અને પોતે પણ કમ નહિ હોવાની જાણે હોડ લાગી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં કુવાડવા રોડ પર સમસ્ત કોળી સમાજ – રાજકોટ દ્રારા સૌરાષ્ટ્રનાં આગેવાનોનું એક સંમેલન મળ્યુ હતુ તેમાં ભાજપ – કોંગ્રેસનાં આગેવાનો હાજર રહયા હતા. સંમેલનમાં કુંવરજી બાવળીયા અને સુરેન્દ્રનગરનાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાની હાજરીએ રાજકીય વર્તૂળોમાં ભારે ચર્ચા જગાવી છે. રાજકોટ કોંગ્રેસનાં આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહયા હતા. સંમેલનમાં બાવળીયા અને દેવજી ફતેપરા સહિતનાં અગ્રણીઓએ સંગઠનને વધુ મજબુત બનાવવા પર ભાર મુકી સમાજ ને અન્યાય થશે તો કોળી સમાજ સાંખી નહિ લે તેવા પણ સંકેતો આપી રાજકારણ માં પોતાના સમાજ ના પ્રતિનિધિત્વ અને પ્રભુત્વ ઉપર ભાર મુક્યો હતો.
સૌરાષ્ટ્રમાં ભાવનગર અને રાજકોટ ખાતે કોળી સમાજનાં આગેવાનોની હાજરીમાં બેઠકો મળ્યા બાદ કોળી સમાજ દ્રારા આગામી પંદર દિવસમાં સૌરાષ્ટ્રમાં બીજુ સંમેલન યોજવા ગતિવિધિ શરૂ થઈ છે.
આમ રાજ્ય માં દરેક સમાજ હવે પોતાના સમાજ ના નેતા નું પ્રતિનિધિત્વ ઇચ્છી રહ્યા હોય હવે માત્ર જ્ઞાતિ આધારિત વોટબેંક નું ગણિત મંડાઈ રહ્યું છે.