મોરબી-રાજકોટ હાઈવે પર આજે વહેલી સવારે અજંતા નજીક એક સ્કૂલ વેનમાં આગ લાગતા 10 બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. જેના પગલે ડ્રાઈવરે સમયસર બાળકોને વાનમાંથી બહાર કાઢી લીધા હતા.
મળતી માહિતી પ્રમાણે મોરબીમાં તમામ શાળાઓમાં અસંખ્ય વેનમાં હજારો બાળકો શાળાએ જતા હોય છે. ત્યારે આવી દુર્ઘટના રોકવા તંત્ર ક્યારે કદમ ઉઠાવશે તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે. ટ્યુશન કલાસીસ અને શાળાઓને ફાયર એનઓસીના નાટક કરતા તંત્રના અધિકારીઓ અને જિલ્લા ટ્રાફિક દ્વારા વાહનોના ચેકિંગ કરવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું જો કે લાખો રૂપિયાનો દંડ કરતી ટ્રાફીક પોલીસના જવાનોને આ ગેરકાયદેસર ચાલતી સ્કૂલ વેન કેમ દેખાતી નથી.
આ સ્કૂલ વેન મોટા ભાગે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓના સગા અને સંબંધીઓની જ હોય છે. તેથી તેના પર કાર્યવાહી કરવામાં નથી આવતી અને અન્ય કોઈ વ્યક્તિ આવી સ્કૂલ વેન ચાલુ કરે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે છે.