વિવિધ રંગો થી ઉભરતો તહેવાર એટલે હોળી નો તહેવાર માનવામાં આવે છે. રંગોની જેમ લોકોનો તહેવાર પણ રંગીલો બને એટલા માટે રંગીલું રાજકોટ આ તહેવારની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યું છે.
પરંતુ આ વર્ષે જીએસટી ને લઈને રંગ અને પિચકારીની કિમતમાં ૧૦ થી ૧૫ ટકા સુધીનો ભાવ વધારો થયો છે . પરંતુ ખાસ વાત એ છે કે જે ચાઈનાની વસ્તુઓ બજારમાં મળતી હતી એ આ વર્ષે બંધ થઇ ગઈ છે. ફક્ત ને ફક્ત ઇન્ડિયાની જ પિચકારી બજારમાં જોવા મળે છે.જેમાં કાર્ટુનની પિચકારીની વાત કરીએ તો બેનટેન , બાર્બી , અને છોટાભીમ અને બાહુબલી ની પિચકારી બજારમાં વધુ જોવા મળે છે. અને આ પ્રકારની પિચકારી નું વધુ વેચાણ થશે તેવું વેપારીનું માનવા આવે છે. વખતે બજારમાં 20 રૂપિયાથી 1200 રૂપિયા સુધીની પિચકારીની વેરાયટીઓ બજારમા આવી છે
ભરત ભરડવા રાજકોટ-સત્યડે રાજકોટ