કોંગ્રેસ દ્વારા રાજકોટ લોકસભા બેઠક માટે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને ટિકિટ આપવાની કવાયત હાથ ધરી હતી. કોંગ્રેસ શિવરાજ પટેલને કોંગ્રેસમાંથી રાજકોટ બેઠક પર લડાવવા માટે પ્રયાસ કરી રહી હોવાની વાત સામે આવી હતી. જેના કારણે રાજકોટ બેઠકને લઈને પાટીદાર ફેક્ટર પર રાજકારણ ગરમાયું છે. ત્યારે શિવરાજ પટેલે અટકળોનો અંત લાવતા કહ્યું છે કે હું લોકસભા ચૂંટણી લડવાનો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને લઇને સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતની લોકસભાની બેઠકો માટેના ગણિતને લઇને ભાજપ અને કોંગ્રેસ બન્ને અસમંજસ જેવી સ્થિતિમાં છે. ત્યારે રાજકોટમાં ખોડલધામના નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલના પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું હતું.