રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં નવલી નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ત્યારે નવરાત્રી પહેલા હિન્દુ જાગરણ મંચ મેદાનમાં આવી ગયું છે. અર્વાચીન ગરબાના આયોજન અંગે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અર્વાચીને ગરબાના આયોજકોને પાસ માટે આધાર કાર્ડ લેવા અને પાસમાં નંબરના બદલે નામ લખવા નોટિસ ફટકારવાની માંગ કરી છે.
નવરાત્રિ બાદ લવ જેહાદના કિસ્સાઓ વધી જાય છે તેવું મહત્વનું નિવેદન હિન્દુ જાગરણ મંચ દ્વારા આપવામાં આવ્યું છે. જેમાં મંગેશ દેસાઈએ જણાવ્યું છે કે અર્વાચીન ગરબામાં વિધર્મીઓને ગરબા લેવા દેવા સામે કોઈ વિરોધ નથી. પરંતુ હિંદુ યુવતીઓ માટે એ જાણવું જરૂરી છે કે તેમની સાથે કોણ ગરબા લેવા જઈ રહ્યું છે, તે હેતુ છે.
ખાસ વાત એ છે કે નવરાત્રિમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે નવરાત્રિ પહેલા હિન્દુ જાગરણ મંચ મેદાનમાં આવી ગયું છે. હિંદુ જાગરણ મંચ દ્વારા રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરને અર્વાચીન રાસોત્સવ સંદર્ભે રજુઆત કરવામાં આવી છે. અર્વાચીન રાસોત્સવના આયોજકોને ખેલાડીઓ કે દર્શકોને આધાર કાર્ડ મેળવવા અને પાસ પર નંબરને બદલે નામ લખવા નોટિસ પાઠવવા જણાવાયું છે.
આ પ્રસંગે હિન્દુ જાગરણ મંચના કન્વીનર મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે નવરાત્રિ બાદ લવ જેહાદના કેસોમાં વધારો થાય છે. અર્વાચીન રાસોત્સવ દરમિયાન અન્ય ધર્મના લોકોને ગરબા લેવા દેવા સામે કોઈ વાંધો નથી. પરંતુ અમારો ઉદ્દેશ્ય હિન્દુ છોકરીઓને જણાવવાનો છે કે જેઓ તેમની સાથે ગરબા લઈ રહી છે.