રાજકોટમાં પાટીદાર આગેવાન પરેશ ગજેરા એમ્બ્રેલ્ડ ક્લબ પહોંચ્યા હતાં. જ્યાં પરેશ ગજેરાએ ચૂંટણી માટે મહત્વની જાહેરાત કરી હતી. પરેશ ગજેરાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે પરેશ ગજેરાએ 19 માર્ચે જ જાહેરાત કરી હતી કે જો ચૂંટણી લડવાની વાત આવશે તો રાજકોટથી ચૂંટણી લડીશ.
જોકે આજે હોળીની ઉજવણી દરમિયાન પરેશ ગજેરાએ જણાવ્યું કે હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી. રાજકોટ, કે પોરબંદર કે અન્ય કોઈ જગ્યાએ પણ ચૂંટણી લડવાનો નથી. ભવિષ્યમાં ચૂંટણી લડવાની થશે તો લડીશ..પણ 2019ની લોકસભા ચૂંટણી લડવાનો નથી. મહત્વનું છે કે આ અગાઉ પરેશ ગજેરા ચૂંટણી લડે તેવી અટકળો ચાલતી હતી. તે સમયે પરેશ ગજેરાએ ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.