ગુજરાતના શિક્ષણ જગતમાં વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરતી એક ઘટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બની છે. સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્યની કોલેજમાં બે પ્રોફેસર વચ્ચેના પ્રેમ પ્રકરણને લઈને વિદ્યાર્થીઓએ લેટર બોમ્બ ફોડ્યો છે. વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પણ પત્ર પાઠવી કોલેજના પ્રોફેસરો વચ્ચેના અફેરથી અભ્યાસ પર માઠી અસર પડી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં બે પ્રોફેસરોનો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.
પત્રમાં શું લખ્યું હતું
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હરિવંદના કોલેજ વિવાદમાં સપડાઈ છે. કોલેજના પ્રોફેસરો વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણનો ખુલાસો મીડિયાને પત્ર મોકલીને થયો છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હરિવંદના કોલેજના પ્રોફેસરો વચ્ચેના પ્રેમ પ્રકરણના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પત્રમાં પ્રોફેસર મેડમ વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણનો ઉલ્લેખ છે. એટલું જ નહીં, એક પ્રોફેસરે તેના મિત્રને વિઝિટિંગ લેક્ચર માટે બોલાવ્યા અને પછી પ્રોફેસરે તેના મિત્ર માટે સીટ ખાલી કરી. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રોફેસરની ગેરરીતિને કારણે બે વિદ્યાર્થીઓએ કોલેજ છોડી દીધી છે. હરી વંદના કોલેજનું સંચાલન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્ય મહેશ ચૌહાણ દ્વારા કરવામાં આવે છે.
તપાસમાં આવી કોઈ સમસ્યા જોવા મળી નથી
જોકે, કોલેજના પ્રિન્સિપાલ સાગર બાબરિયાએ એવો કોઈ પત્ર આવ્યો ન હોવાનું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, મને આ પત્ર વિશે મીડિયા દ્વારા ખબર પડી છે. એક મહિના પહેલા આવી કોઈ સમસ્યા વિશે વાત થઈ હતી જે પછી અમે દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે પૂછ્યું હતું પરંતુ કોઈ પણ વિદ્યાર્થીએ તેના વિશે કંઈ કહ્યું ન હતું અને આવી કોઈ સમસ્યા સામે આવી ન હતી. પત્રમાં 17મી જુલાઈની તારીખ લેવામાં આવી છે. અમે યુનિવર્સિટીને પણ પૂછ્યું, પરંતુ એવો કોઈ પત્ર નથી.
કદાચ કોઈએ ઈર્ષ્યાથી આવો પત્ર લખ્યો અને વાયરલ કર્યો.
જોકે, મીડિયા દ્વારા આ માહિતી મળતાં અમે તપાસ કરી હતી. પત્રમાં કથિત આવી કોઈ હકીકત નથી. કદાચ કોઈએ ક્રોધ કે ઈર્ષ્યાથી આવો પત્ર લખ્યો હોય અને વાયરલ કર્યો હોય. અમે દિલગીર છીએ કે આ પત્ર વાયરલ થયો છે. અમે વિદ્યાર્થીઓને પણ પૂછ્યું કે શું તેમને કોઈ સમસ્યા છે. અમને તેમાં પણ એવું કંઈ મળ્યું નથી.