તહેવારને ધ્યાને લઇ રાજકોટ મહાનગરપાલિકાએ ભાઈબીજના દિવસે હસ્તકની સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ચાલું કરી છે. જેમાં રાજકોટની તમામ મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે.
મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવાયું છે કે, રાજકોટ મનપા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીની સવલત આપે છે. તે જ રીતે આગામી ભાઈબીજ નિમિતે રાજકોટ મનપા સંચાલીત સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં તમામ મહિલાઓને આવન જાવન માટે વિનામુલ્યે મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ ફ્રી બસ સેવાનો લાભ લેવા બહેનોને અનુરોધ કરવામાં આવ્યો છે.