વલસાડ: ડિસ્ટ્રીક્ટ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ હોદ્દેદારો હર્ષદભાઈ કટારીયાના માર્ગદર્શન માં અશોકભાઈ મંગે , ચેતનભાઇ ભાનુશાલી , કલ્યાણજી ભાનુશાલી, મનન કટારીયા વગેરે ગુજરાત રેરા ઓથોરિટીના મુખ્ય અધિકારી શ્રીમતી મંજુલાબેન શુભ્રમણ્યમ ,શ્રી વત્સલ પટેલ ,શ્રી પાઠક ને રેરા નિયમો મા બિલ્ડરોને પડી રહેલી મુશ્કેલી અંગે રજુઆત કરવામા આવી.જે અંગે ઘટતુ કરવા અને રેરામા હાલે રજીસ્ટ્રેશન માટે આવનાર સામે દંડકીય કાર્યવાહી કરવામા નહી આવે એવી રાહત આપવામા આવી.
ગુજરાત સરકાર દ્વારા રેરા કાયદાની અમલવારી કરાતા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ ઠપ થઈ ગયો છે.સરકારે રજીસ્ટ્રેશન માટે ૯૦ દિવસની મુદત આપી પરંતુ રેરા ની વેબસાઈટ ૬૮ દિવસ મોડી શરુ થતા ફકત ૨૨ દિવસમા રજીસ્ટ્રેશન કરવા માટે રહયા.જે દરમ્યાન સમગ્ર ગુજરાતમાથી ખુબ જ ઓછા બિલ્ડરો રજીસ્ટ્રેશન કરી શકયા.હવે પછી રજીસ્ટ્રેશન કરવામા આવશે કે નહી અથવા પેનલ્ટી કેટલી લાગશે વગેરે જેવા અનેક સવાલોને લઈ બિલ્ડરો અસમંજસમાં છે.
તેમજ રેરા ની અંદર અનેક ચાલુ પ્રોજેક્ટો કે પુર્ણ અર્ધપુર્ણ પ્રોજેક્ટો રેરા રજીસ્ટ્રેશન માટેની શરતો પુર્ણ કરી શકે એવી સ્થિતિ નથી.અનેક બિલ્ડીંગોમા લોકો વસવાટ કરી રહયા છે અને હાઉસ ટેક્ષ ભરી રહયા છે જે રેરામાં રજીસ્ટ્રેશન થાય એમ નથી પરંતુ એવી બિલ્ડીંગોમાં લોકોની લોન , દસ્તાવેજ પ્રોસેસ અટકી પડી છે તેવી બિલ્ડીંગોમાં ગ્રાહક, બિલ્ડર બન્ને પાસે કોઈ રસ્તો નથી.તેમજ સરકારના પ્રવર્તમાન જીડીસીઆર મા ડેન્સીટી , હાઈટ જેવા અનેક વિષયે સુધારા ન થવાને લઈને પ્લાન અને હયાત બાંધકામ મા આવી રહેલ તફાવત રેરા મા રજીસ્ટ્રેશન માટે બાધારૂપ બની રહયો છે.તો સોસાયટી હોય ત્યા ડેવલપર અને ગ્રાહક નો સંબંધ જ નથી રહેતો છતા રેરા રજીસ્ટ્રેશન કરાવવું પડશે એવો નિયમ છે.તો કોઈ પોતાના પૈસાથી તૈયાર કરી બિલ્ડીંગ વેચે તો પણ રેરા મા રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.ત્યારે ગુજરાત રેરા એ વર્તમાન પરિસ્થિતિ ને અનુરૂપ નિયમોમા ફેરફાર કરવો અનિવાર્ય છે.અન્ય રાજયો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા , રાજસ્થાન, ઉતરપ્રદેશ , તેલંગણા મા હયાત કે ચાલુ બાંધકામોને રેરામાથી મુક્તિ આપવામા આવેલ છે.તેમજ અનેક નિયમોને સરળ બનાવવામાં આવેલ છે.
ત્યારે ગુજરાત રેરા મા પણ આવશ્યક ફેરફારો થાય અને જેથી બધા બિલ્ડરો પોતાનો પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન કરાવી શકે અને ગ્રાહકોના હીત જળવાઈ રહે વગેરે અનેક મુદ્દાઓ ની રજુઆત દરમ્યાન તલસ્પર્શી ચર્ચા કરવામા આવી.
રેરા ઓથોરિટી એ આ રજુઆત સંદર્ભે અભ્યાસ કરી શકય એટલા ફેરફાર કરવા માટે આશ્વાસન આપ્યુ હતુ.તેમજ એસોસિએશન જોડે ફરી મિટીંગ કરી રેરા મા વધુને વધુ રજીસ્ટ્રેશન માટે બિલ્ડરો આગળ આવે એવા પગલા લેવા નુ આશ્વાસન આપ્યુ હતુ.