સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પોલિસ દ્વારા નગરના વિવિધ પ્રશ્નોને લોકદરબાર યોજવામાં આવ્યો હતો જેમાં જીલ્લા પોલિસ વડા સૌરભસિંહ તથા નાયબ જિલ્લા પોલિસ વડા શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યાં .
પ્રાંતિજ પોલિસ સ્ટેશન ના પીઆઇ વી.આર.ચાવડા દ્વારા પ્રાંતિજ પટેલ સમાજની વાડી ખાતે લોક દરબારનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ નયનભાઇ દેસાઇ , રઇશભાઇ કસ્બાતી , માજી પ્રમુખ અરવિંદ ભાઈ પરમાર , માજી પ્રમુખ નિત્યાનંદભાઇ તથા નગરના અગ્રણીઓ વેપારીઓ તથા વિવિધ સંસ્થાઓ ના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં તો પ્રાંતિજ ખાતે નગરના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો તો પ્રાંતિજ માં દિવસે ને દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યાઓ અંગે પણ ચર્ચાઓ થઈ હતી તો આ પ્રસંગે પોલિસ વડા દ્વારા પોલિસ ના પ્રશ્નો અને પોલિસ સ્ટેશન ના પ્રશ્નો ની ચર્ચાઓ કરવામાં આવી હતી .