આઈપીએલ 2023 ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે બપોરે 3:30 વાગ્યાથી મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બંને ટીમો પોતાના નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. એક તરફ શિખર ધવન પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ સંભાળશે, તો બીજી તરફ શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં નીતિશ રાણા KKRની કેપ્ટનશીપ સંભાળતો જોવા મળશે. આઈપીએલમાં અત્યાર સુધી બંને ટીમો કુલ 30 વખત સામસામે આવી ચુકી છે.
પિચ રિપોર્ટ
પંજાબ અને કોલકાતા વચ્ચેની આ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે અને અહીંની પીચ બેટિંગ માટે જાણીતી છે. આ મેદાન પર બેટ્સમેનોને મદદ મળે છે અને હાઈ સ્કોરિંગ મેચો થાય છે. આવી સ્થિતિમાં પંજાબ અને કોલકાતા વચ્ચે રમાતી મેચ હાઈ સ્કોરિંગ મેચ બની શકે છે.
IPLમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 મેચ રમાઈ છે, જેમાં KKR 20 મેચ જીત્યું છે. જ્યારે પંજાબ કિંગ્સ માત્ર 10 મેચ જીતી શકી હતી.
પંજાબ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધી રમાયેલી મેચોના આંકડાઓ પર નજર કરીએ તો કહી શકાય કે KKR પાસે આ મેચ જીતવાની પ્રબળ તક છે, કારણ કે બંને વચ્ચે રમાયેલી કુલ 30 મેચોમાંથી KKR 20 વખત વિજયી રહી છે. હવે આ મેચમાં કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પંજાબ કિંગ્સ – શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કુરન, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, નાથન એલિસ, રાહુલ ચહર.
કોલકાતા નાઈટ રાઈડર્સ – વેંકટેશ અય્યર, નારાયણ જગદીશન, નીતિશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા.
આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર, જુઓ બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન
IPL 2023 ની ત્રીજી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. IPL 2022માં ડેબ્યૂ કરનાર લખનઉ સુપર જાયન્ટ્સ ગત સીઝનમાં શાનદાર લયમાં જોવા મળી હતી. ટીમ આ સીઝનની પ્રથમ મેચ જીતીને પોતાનું ફોર્મ જાળવી રાખવા માંગશે. આ મેચમાં બંને ટીમો કઈ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરશે તે જોવાનું રહેશે. આવો જાણીએ આ મેચ સાથે જોડાયેલી તમામ વિગતો.