ભારતમાં જયારે જયારે ક્રિકેટરની વાત આવે ત્યારે જામનગરનું નામ ન આવે એવું ક્યારેય ન બને !!! એ પછી ઘરેલું ક્રિકેટ હોય કે હોય આંતરષ્ટ્રીય ક્રિકેટ, જામનગરની ધરતીમાં જામ રણજીથી માંડી હાલના રવીન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટરોને આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ડંકો વગાડી જામનગરનું નામ રોશન કર્યું છે. આજે એવા જ એક જામનગરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરની જન્મ જયંતી છે….નામ છે વીનું માંકડ, નવી પેઢીના ઉગતા ક્રિકેટરોને આ નામ ઓછું કોઠે પડ્યું હશે…પણ વર્તમાન ક્રિકેટર સાથે વીનું માંકડને નાતો છે…તો ચાલો આજે જન્મ જયંતી નિમિતે વીનું માંકડને યાદ કરીએ…
એ વર્ષ હતું ૧૯૩૧નું, તારીખ હતી બારમી એપ્રિલ, જામનગરના માંકડ પરિવારના ઘરે એક તેજસ્વી બાળકનો જન્મ થયો, બાળપણમાં જ રાજશાહી ક્રિકેટ બંગલેથી ક્રિકેટની શરૂઆત કરી, જેના નામે ઘરેલું ક્રિકેટર રમાય છે એવા દુલીપસિંહ પાસેથી વીનું માંકડે બોલિંગના પાઠ ભણ્યા હતા અને ઘરેલું ક્રિકેટરમાં કાઠુ કાઢી આંતર રાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટર સુધી પહોચ્યા, વીનું માંકડનું પુરું નામ મૂળવંતરાય હિંમતલાલ માંકડ હતું. તેઓ પ્રારંભિક બેટસમેન અને ધીમા ડાબોડી બોલર તરીકે રમતા હતા.
વર્ષ ૧૯૩૬ થી ૧૯૪૨ સુધી તેઓ નવાનગર તરફથી ક્રિકેટર રમ્યા
વર્ષ ૧૯૩૬ થી ૧૯૪૨ સુધી તેઓ નવાનગર તરફથી ક્રિકેટર રમ્યા, ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર અને બંગાળ તરફથી પણ ક્રિકેટ રમ્યા, 22 જુન ૧૯૪૬માં તેઓ ભારત તરફથી ટેસ્ટ કેપ મેળવી પ્રથમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટના પ્રથમ કામણ પાથર્યા, વર્ષ ૧૯૪૬થી ૧૯૫૯ સુધી આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા, કુલ ૪૪ ટેસ્ટ મેચ રમી, ૩૧.૪૭ની સરેરાસ સાથે ૨૧૦૯ રન બનાવ્યા હતા. સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર તરીકે ફીરકી લગાવી ૧૬૨ વિકેટ ઝડપી આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી, ઈ. સ. ૧૯૫૬ના વર્ષમાં પ્રારંભિક બેટધર તરીકે પંકજ રોય સાથે પહેલી વિકેટની ભાગીદારીમાં ૪૧૩ રનનો જુમલો ખડકી વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો, જે છેક બાવન વર્ષ સુધી અકબંધ રહ્યો હતો.
માંકડનું વર્ષ ૧૯૭૮માં મુંબઈ ખાતે અવસાન થયું હતું
તેઓ વિશ્વના જૂજ ખેલાડીઓ પૈકીના એક હતા, કે જેમણે દરેક ક્રમે બેટિંગ કરી હોય….ક્રિકેટ વિશ્વમાં નામ રોશન કરનાર માંકડનું વર્ષ ૧૯૭૮માં મુંબઈ ખાતે અવસાન થયું હતું….ક્રિકેટર વિશ્વમાં આપેલ બહુમુલ્ય યોગદાન બદલ તેઓને વર્ષ ૧૯૭૩માં પદ્મવિભુષણ એવોર્ડથી નવાજ્યાં હતા. ક્રિકેટ વિશ્વમાં બહુમાન ધરાવતા વીજડન ક્રિકેટર ઓફ ધ યરમાં પણ તોએનો સમાવેશ થયો હતો…સાથે સાથે વર્ષ ૨૦૨૧માં આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં પણ તેઓને સ્થાન અપાયું હતું.
જામનગર અને મુંબઈમાં તેઓના નામ પર માર્ગનું નિર્માણ
જામનગર અને મુંબઈમાં તેઓના નામ પર માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાનખેડે સ્ટેડીયમના એક પ્રવેશ દ્વારને પણ સ્વ વીનું માંકડ નામ સાથે જોડવામાં આવ્યું છે…વીનું માંકડ બાદ તેઓના ત્રણ પુત્રો પણ ઘરેલું ક્રિકેટ રમ્યા હતા. પરંતુ સમય સંજોગે તોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી ન પહોચ્યા, આજે જામનગર આ મહાન ક્રિકેટરને યાદ કરી રહ્યું છે…
ડોમેસ્ટિક ક્રિકેટ હોય કે ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ હોય કે વન ડે, કે પછી ટી ૨૦ મેચ હોય, ચાલુ મેચ દરમિયાન બોલર રનીંગ સાથે બોલિંગ ક્રીજ પર બોલ ફેકે તે પૂર્વે નોન સ્ટ્રાઈક પરનો બેસ્ટ મેં ક્રીજ છોડી આગળ નિકળે, બોલર બોલ કર્યા પૂર્વે નોન સ્ટ્રાઈક પરની વિકેટ બોલથી ખેડવી નાખે તો બેસ્ટમેનને રન આઉટ ગણવામાં આવે છે. હાલ આ વિકેટને નામ આપવામાં આવ્યું છે માંકડીંગ, આ નામ વીનું માંકડના નામ પરથી પડ્યું છે. માહિતી ઘણી રોચક છે.. વર્ષ ૧૯૪૭ની 13મી ડીસેમ્બરના રોજ ઓસ્ટ્રેલીયા સામેના ટેસ્ટ મેચમાં વીનું માંકડે ઓસ્ટ્રેલીયાના બેટર બીલ બ્રાઉનને પ્રથમ વખત નોન સ્ટ્રાઈકર એન્ડ પર આવી રીતે રન આઉટ કર્યો હતો..વીનું માંકડે પ્રથમ આવી રીતે બેટરને આઉટ કર્યો હતો તેથી વર્તમાન ક્રિકેટમાં આ વિકેટનું નામ માંકડીંગ પડ્યુ છે. અત્યાર સુધીમાં આવી રીતે નવ ખેલાડીઓએ પોતાની વિકેટ ગુમાવી છે…