IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI વર્લ્ડ કપ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી રહી છે. રોહિત શર્માએ આ મેચ માટે પોતાના પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. જેના કારણે વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે અગાઉ સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીને તક મળી શકી નથી. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ મોહમ્મદ શમી છે. શમી આ વર્ષે વર્લ્ડ કપમાં રમાયેલી ત્રણેય મેચમાં પ્લેઇંગ 11માંથી બહાર હતો અને આ મેચમાં પણ રોહિત શર્માએ તેને પોતાની કેપ્ટનશિપમાં રમવાની તક આપી નથી.
આ ખેલાડીને પડતો મૂકવામાં આવ્યો હોત
શાર્દુલ ઠાકુરને બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી મેચમાં પ્લેઈંગ 11માંથી બહાર કરી શકાયો હોત. શાર્દુલ ઠાકુર સારા ફોર્મમાં છે, પરંતુ ટીમને અત્યારે તેની જરૂર નથી. શાર્દુલે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં માત્ર બે ઓવર નાંખી હતી. અગાઉ અફઘાનિસ્તાન સામે પણ તેણે માત્ર 6 ઓવર જ ફેંકી હતી. તે જ સમયે, ટીમ ઈન્ડિયાના બેટ્સમેન બેટિંગ દરમિયાન ખૂબ જ સારા ફોર્મમાં છે અને શાર્દુલ ઠાકુર પણ બેટિંગ કરી શકતો નથી. આવી સ્થિતિમાં સુકાની રોહિત શર્મા આ મેચમાં પોતાની બોલિંગને મજબૂત કરવાનો નિર્ણય કરીને શમીને તક આપી શક્યો હોત, પરંતુ તેણે તેમ કર્યું નહીં.
વર્લ્ડ કપમાં શમીનું પ્રદર્શન
જો આપણે ODI વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીના પ્રદર્શન પર એક નજર કરીએ તો તે ટીમ ઈન્ડિયા માટે 2015 અને 2019 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. જ્યાં તેણે 11 મેચમાં 31 વિકેટ ઝડપી છે. શમીએ વર્લ્ડ કપમાં હેટ્રિક પણ લીધી છે. તેણે 2019 ODI વર્લ્ડ કપ દરમિયાન અફઘાનિસ્તાન સામે આ સિદ્ધિ મેળવી હતી અને ટીમ ઈન્ડિયાને છેલ્લી ઓવરમાં જીતવામાં મદદ કરી હતી. શમી વર્લ્ડ કપમાં ખૂબ જ સારા ફોર્મમાં છે, પરંતુ આ વખતે તેને હજુ સુધી તક આપવામાં આવી નથી.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.