સુરતમાં રાત્રે આપ નેતા મનોજ સોરઠીયા ઉપર હુમલાની બનેલી ઘટનાને લઈ રાજ્યભરમાં પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે,આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં સીમાડા ચોકડી ખાતે દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, તે મુજબ આ વર્ષે પણ શ્રીજી સ્થાપન કરવાનું હોય મંડપની કામગીરી જોવા માટે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ત્યાં ગયા હતા તે વખતે કેટલાક ઈસમો દ્વારા એકાએક મંડપ પાસે પડેલા બામ્બુ અને લોખંડની પાઇપ વડે મનોજ ભાઈ ઉપર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે.
આ હુમલામાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાના માથાના ભાગે પાઇપનો ફટકો વાગતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા જેઓને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. ભાજપના નેતાઓના હાથમાં પોલીસ હોવાને કારણે તેઓને કાયદાનો કોઈ જ ડર નથી. ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ઉપર થઈ ચૂક્યા હોવાનું પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.