રાજ્ય માં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોના માં સપડાયેલા બારડોલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમાર હોમ આઇસોલેશનમાં હતા પરંતુ શનિવારે મોડી રાત્રે અચાનક તેમની તબિયત બગડતા તેઓને તાત્કાલિક બારડોલીના ઉમરાખ ગામ ખાતે આવેલી ઉમરા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
મંત્રી ઇશ્વરભાઇ પરમારને ઉમરા હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે રેમડેસિવિર ઇન્જેક્શનનો એક ડોઝ આપી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા. જોકે ડોક્ટરના જણાવ્યા મુજબ, હાલ તેમની તબિયત સ્થિર છે. મંત્રી ઈશ્વરભાઈ પરમારને કોવિડ હોસ્પિટલમાં ખસેડાયાની જાણ તેમના સમર્થકોને થતા જ તેમની તબિયતની ભાળ મેળવવા માટે કાર્યકરો હોસ્પિટલ ખાતે એકત્ર થઈ ગયા હતા.
Sunday, May 19