તબિયત નાદુરસ્ત હોવાછતાં CM રૂપાણી સુરત માં ત્રણ સભાઓ ગજવશે જ્યારે કોંગ્રેસ ના હાર્દિક પટેલ પણ સભા ભાજપ સામે સભા ગજવવા નો તખ્તો ગોઠવાયો છે.
રાજ્ય માં ચુંટણીઓ નો માહોલ છે અને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા પ્રચાર કાર્ય ચાલુ છે ત્યારે વડોદરા ખાતે ચાલું સભામાં મુખ્યમંત્રી રૂપાણીની તબિયત બગડી હોવાછતાં પણ આજે સીએમ રૂપાણી સુરત માં સભા ગજવવા આવી રહ્યા ની માહિતી પ્રાપ્ત થઈ છે. ભાજપાના દ.ગુ.ના મીડિયા કન્વીનર વિનોદ જૈને કહ્યુ હતું કે ‘સુરત ખાતેના CMના કાર્યક્રમો યથાવત છે.’ મુખ્યમંત્રી રૂપાણી આજે સોમવારે સાંજે 6.30 કલાકે પાંડેસરા પિયુષ પોઇન્ટ પર જાહેરસભા કરશે.ત્યારબાદ સાંજે 7.30 વાગ્યે વિવેકાનંદ ટાઉનશીપ, પાલનપુર જકાતનાકા અને રાત્રે 8.30 વાગ્યે બાપા સીતારામ ચોક,લલિતા ચોકડી,કતારગામ ખાતે જાહેરસભા સંબોધશે.
બીજી તરફ મુખ્યમંત્રી સામે કોંગ્રેસ ના અગ્રણી હાર્દિક પટેલ સભા ગજવશે જેથી સુરત માંસોમવારે રાજકીય સભાઓનો ધમધમાટ જોવા મળશે.
એક તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાત્રે 8.30 વાગ્યે બાપા સીતારામ ચોક,લલિતા ક્રોસ રોડ, કતારગામ ખાતે સભા સંબોધશે.જયારે હાર્દિક પટેલ કતારગામ આંબાતલાવડી ખાતે રાત્રે 8 વાગ્યે કોંગ્રેસના ઉમેદવાર મહેશ કેવડિયાના પ્રચારમાં સભા સંબોધશે.એમ સૂત્રો એ જણાવ્યું હતું.