બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી તારીખ 26 મેથી 3 જૂન સુધી ગુજરાતનાં ચાર મહાનગરમાં દિવ્ય દરબાર યોજશે, તેઓ દિવ્ય દરબારનો સૌ પ્રથમ સુરતથી પ્રારંભ કરશે.
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવી રહયા હોય તડામાર તૈયારીઓ શરૂ થઈ છે.
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પોતાના દિવ્ય દરબારનો પ્રારંભ સુરત ખાતેથી કરશે.
જ્યાં તેઓ તારીખ 26 અને 27 મે 2023 સુધી દિવ્ય દરબાર યોજશે.
બાગેશ્વર ધામ સરકાર આયોજક સમિતિ દ્વારા બેઠકો શરૂ કરીને આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.
આગામી તા.26 મેના રોજ તેઓ ચાર્ટર્ડ પ્લેનથી તેઓ સુરત એરપોર્ટ પર પહોંચશે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી તારીખ 26 મેથી 3 જૂન સુધી ગુજરાતનાં ચાર મહાનગર- સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરા ખાતે સભા સંબોધવાના છે.
આ મહાનગરોમાં પ્રવાસ માટે બાબા ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરશે.
રૂ.80 લાખના ખર્ચે તૈયાર થયેલા દસ બેડરૂમના બંગલામાં રહેશે. તેમની સભાઓ દરમિયાન દૈનિક 1.50 લાખ જેટલા ભક્તો ઉપસ્થિત રહેશે અને 500 જેટલી કાર સાથે તેમની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ શરૂ છે અને ઠેરઠેર બેનર લાગ્યા છે.