બાગેશ્વર બાબા ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં છે અને સુરતમાં તેમનો દિવ્ય દરબાર યોજાયો ત્યારે લાખ્ખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા બાબાએ કહ્યું સૌ સંગઠિત બનો ભારત શુ પાકિસ્તાનને પણ હિન્દૂ રાષ્ટ્ર બનાવીશું.
યુવા હિન્દૂ સંત લોકોમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે તેવા ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 10 દિવસ સુધી ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં દિવ્ય દરબાર યોજનાર છે, જેના માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.
દરમિયાન જ્યારે સુરતમાં નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર યોજાયો ત્યારે ભક્તોએ જયજયકાર બોલાવ્યો હતો,બાબાએ દિવ્ય દરબારની શરૂઆત કરી ત્યારે મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, ભારતને જ નહીં પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ સુરતમાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓ હું તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી સમગ્ર ગુજરાત ભગવાન રામમય નહીં થાય, ત્યાં સુધી ગુજરાતના લોકોનો પીછો નહીં છોડું. મારા બાગેશ્વર ધામના ભક્તો એક વાત તમે તમારા જીવનમાં યાદ રાખજો કે જે દિવસે ગુજરાતના લોકો સંગઠિત થઈ જશે. તો ભારત તો શું, આપણે પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. અહિંયાનાં લોકો બોલે છે. હાઉં પોસિબલ હિન્દુ રાષ્ટ્ર?
હું એમને એટલું જ કહેવા માગું છું કે ભારત હિન્દુ રાષ્ટ્ર હતું છે અને રહેશે.
જે લોકો કહેતા હતા કે ભગવાન નથી હોતા, શક્તિઓ નથી હોતી, આ બધા પાખંડ છે અને સંત પાખંડી હોય છે, આવું બોલવા વાળાઓની હવે ખેર નથી આવા લોકોને બતાવી દેવાનું છે અને ધર્મની રક્ષા માટે સૌએ સંગઠિત બનવાનો સમય આવી ગયો છે.