સુરતની અદાલતે આજે ચુકાદો આપતાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કલમ 499 અને 500 મુજબ તેમને બે વર્ષની સજા સંભળાવામાં આવી હતી અને પંદર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલે રાહુલ વતી આ કેસમાં જામીન માગતાં અદાલતે તે મંજૂર કર્યા હતા. રાહુલ ગાંધી સુરત કોર્ટમાંથી નીકળીને સર્કીટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
રાહુલ ગાંધીના વકીલે જણાવ્યું કે રાહુલ ગાંધીને 499 અને 500 મુજબ દોષિત જાહેર થયા છે જેમાં લાંબી સજાની જોગવાઈ નથી અને જામીન મળી ગયાં છે
નૈષધ દેસાઈ અને હસમુખ દેસાઈ રાહુલ ગાંધીના જામીનદાર બન્યા હતા.
અત્રે નોંધનીય છે કે 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોર રાજ્યના કલ્લારૂ ખાતે પોતાના ભાષણમાં તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વિવાદીત ટિપ્પણી કરતા સુરતમાં ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
સુરતની અદાલતે આજે ચુકાદો આપતાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કલમ 499 અને 500 મુજબ તેમને બે વર્ષની સજા સંભળાવામાં આવી હતી અને પંદર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલે રાહુલ વતી આ કેસમાં જામીન માગતાં અદાલતે તે મંજૂર કર્યા હતા. રાહુલ ગાંધી સુરત કોર્ટમાંથી નીકળીને સર્કીટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
રાહુલ ગાંધીના વકીલે જણાવ્યું કે રાહુલ ગાંધીને 499 અને 500 મુજબ દોષિત જાહેર થયા છે જેમાં લાંબી સજાની જોગવાઈ નથી અને જામીન મળી ગયાં છે
નૈષધ દેસાઈ અને હસમુખ દેસાઈ રાહુલ ગાંધીના જામીનદાર બન્યા હતા.
અત્રે નોંધનીય છે કે 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોર રાજ્યના કલ્લારૂ ખાતે પોતાના ભાષણમાં તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વિવાદીત ટિપ્પણી કરતા સુરતમાં ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.