કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત સુરતમાં છે. આજે સુરત કોર્ટમાં 11:00 વાગ્યે હાજર રહયા છે.
સુરત ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ડુમસ ચોકડી પાસે પહેલો પોઇન્ટ, વેસુ એનઆઇટી પાસે બીજો અને પૂજા અભિષેક એપાર્ટમેન્ટ પાસે એમ આ ત્રણેય પોઇન્ટ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકી દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી નીરવ મોદી અને લલિત મોદીનાં નામ મામલે રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી ટિપ્પણી કરી હતી કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં તે જ ઘરના મોદી અટક ધરાવતાં સમાજમાં રોષ વ્યાપ્યો હતો અને સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો.
જેમાં ચુકાદાની તારીખ 23 માર્ચ આપવામાં આવી હતી. જેથી આજરોજ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, અમિત ચાવડા સહિતના નેતાઓ સુરતમાં હાજર છે.
દરમ્યાન ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે રાહુલ ગાંધીને માત્ર રાજકીય કિન્નાખોરીથી પરેશાન કરવામાં આવી રહ્યા છે.