રાજ્યમાં હવે દરેક વસ્તુઓમાં કાળા બજારીયાઓ એ ઘૂસ મારી છે ત્યારે હવે યુરિયા ખાતરમાં પણ આવું થતાં ભારે હંગામો મચ્યો છે.
કારણ કે યુરિયા ખાતર મેળવવા ખેડૂતો એક તરફ ખાતર કેન્દ્રોની બહાર લાઇન લગાવતા હોય છે, તેમ છતાં અપૂરતા સ્ટોકના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી.
તેવે સમયે સુરતના સચિનમાં સબસિડીવાળા યુરિયા ખાતરની 54 ગુણ સાથે એક વ્યક્તિ ઝડપાઈ જતા હવે સબસીડીવાળા ખાતરમાં પણ આ રીતે કાળા બજારનો મામલો સામે આવતા ભારે ચકચાર મચી છે.
કેમિકલના ગોડાઉનમાં તપાસ દરમિયાન વધુ 541 ખાલી ગુણો મળી આવતા પાંડેસરા અને પલસાણાની મિલમાં યુરિયા ખાતર સપ્લાય કરાતું હોવાની વાતનો ભાંડાફોડ થયો હતો.
સચિનના કેમિકલ ગોડાઉનમાંથી સબસિડીવાળા યુરિયા ખાતર મળી આવવાના મામલે હોબાળો થયા બાદ નાયબ ખેતી નિયામક વિશાલ કોરાટએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ કરતા આખરે પોલીસે હિમાશું મુકેશચંદ્ર ભગતવાલાઅને જથ્થો સપ્લાય કરનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.