વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે તા.23મી મેના રોજ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 11 કંપનીઓમાં બેંકિંગ, આઈટી કંપનીઓ તેમજ પ્લેસમેન્ટ એજન્સીઓ- કંપનીઓ 300 પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી કરશે. ઉમેદવારો માટે 12000થી 7 લાખ રૂપિયા સુધીનું પેકેજ રાખવામાં આવ્યું છે.
આ જોબ ફેરમાં વિદ્યાર્થીઓ હાજર રહેવા યુનિવર્સિટી દ્વારા અપીલ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને રોજગારી આપવા માટે યુનિવર્સિટી દ્વારા સમયાંતરે રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવે છે.
કંપનીઓ, પોસ્ટ્સ અને પેકેજો જાહેર કરવામાં આવે છે, જેથી કોઈ મૂંઝવણ ન રહે
જોબ ફેરમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે યુનિવર્સિટીએ આવનારી કંપનીઓના નામ સાથે પેકેજ પણ જાહેર કર્યું છે.
યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે જોબ ફેરમાં બેંક, ઓટોમોબાઈલ, ટેલિકોમ, ટ્રાન્સપોર્ટ, આઈટી સહિતના અનેક ક્ષેત્રોની કંપનીઓ ભાગ લેશે. કઇ કંપનીમાં કેટલો પગાર અપાશે તેની યાદી યુનિવર્સિટીએ પહેલાથી જ જાહેર કરી દીધી છે.