સુરતમાં પલસાણા વિસ્તારમાં રાજહંસ ગ્રુપ દ્વારા ગેરકાયદે રીતે ખાડી કોતર ઉપર પુરાણ કરી નિયમ વિરુદ્ધ બાંધકામ કરી દઈ કુદરતી વહેણમાં અવરોધ ઉભો કર્યો હોવાછતાં તંત્ર રાજહંસના ખોળામાં બેસી ગયું હોવાનું જણાય રહ્યું છે અને આ બાંધકામ દૂર કરવા મામલે આંખ આડા કાન કરવામાં આવી રહયા છે.
આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહી થતા NH 48 થી બલેશ્વર ગામનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ થઈ જતો હોવાની વ્યાપક ફરિયાદો છતાં તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું.
સુરતના પલસાણા વિસ્તારમાં
ખાડી કોતર પર પુરાણ કરી કુદરતી પાણી નિકાલ ની વ્યવસ્થામાં અવરોધ છતાં તંત્ર આ બધી બાબતો જાણે કે નજર અંદાજ કરી રહ્યું છે.
અહીં નિયમ વિરુદ્ધ ખાડી ઉપર પુરાણ થઈ ગયું હોવા છતાં તેને દૂર કરવામાં નહિ આવતા ભારે આશ્ચર્ય ફેલાઈ રહ્યું છે.
બલેશ્વર ગામમાંથી પસાર થતી બત્રીસ ગંગા ખાડી કોતરમાં પુરાણ કરી કોતર નુ વહેણ ગેરકાયદે રીતે બદલી બાંધકામ કરનાર રાજહંસ ગ્રુપ તંત્રને પડકાર ફેંકી રહ્યું હોય તેવું જણાય રહ્યું છે.
ખાડી પુરાણને પગલે બલેશ્વર ગામથી પલસાણા ને જોડતા રસ્તા પર ચોમાસા દરમ્યાન પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો થાય છે.
વાહન વ્યવહાર માટે આ રસ્તો બંધ થઈ જાયછે પાણી માં અવરોધને લીધે પાણી બલેશ્વર ગામ ખાડી પાર હળપતિ વાસ તેમ ગામના પુલ ઉપર પણ ભરાય રહે છે.
રાજહંસનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા તંત્રના ટાંટિયા ધ્રુજી રહયા છે અને આ જવાબદાર સત્તાધીસો પાસે જાહેર જનતા જવાબ માંગી રહી છે.
કાયદો દરેકને લાગુ પડે છે અને તે અમીર અને વગ ધરાવતા તત્વો સામે કેમ ઉપયોગ કરાતો નથી તે અંગે જવાબદારોએ જાહેરમાં ખુલાસો કરવા લોકમાંગ ઉઠવા પામી છે.