સુરતની જીવન જ્યોત ખાડીમાં કેમિકલ છોડનારા કેમિકલ માફિયાઓ સામે પોલ્યુશન વિભાગ ઘૂંટણીએ પડી ગયો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે આ પ્રકરણમાં લેખિત અરજી આપવામાં આવી હોવાછતાં પણ ખાડીમાં કેમિકલ નિકાલનો પ્રશ્ન સોલ્વ થયો નહિ હોવાનું ગંધાતી ગટરથી સાબિત થઈ રહ્યું છે.
પાંડેસરા જીઆઈડીસીના સીઈટીપીના મુખ્ય ચેરમેન નારાયણ પ્રોસેસર્સના જીતુભાઈ વખારીયા અને પાંડેસરા જીઆઈડીસીના કમલવિજય
તુલશ્યાન બન્નેમાંથી કોણ જવાબદારી સ્વીકારશે?તે સવાલ હજુપણ ઠેરનોઠેર રહ્યો છે.
પર્યાવરણ તેમજ પશુ-પક્ષીઓ સહિત માનવ જીવન માટે જોખમ ઉભું કરનાર આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવામાં જાણે તંત્રને રસ નથી તેવુ સપાટી ઉપર આવી રહ્યું છે.
સુરતમાં પાંડેસરાના સીઈટીપી પ્લાન્ટ નજીકમાં આવેલી જીવન જ્યોત ખાડીમાં ખુલ્લેઆમ ટ્રીટ કર્યા વગરજ ઝેરી પાણી ખાડીમાં છોડવામાં આવી રહ્યું હોવાની બુમરાણ અને ફરિયાદો વચ્ચે પણ તપાસ ઠેરની ઠેર રહી છે. જીપીસીબી પણ જે રીતે તપાસ કરવામાં અસમર્થ જણાઈ રહ્યું છે તે જોતા કોઈ મોટું માથુ આ મેટરમાં ઇન્વોલ હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.
આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે કોણ પગલાં ભરશે ? તે મુદ્દો હવે જનતામાં ચર્ચાનો વિષય બન્યો
પોલ્યુશન વિભાગ દ્વારા કેમ પગલાં ભરવામાં આવતા નથી તે મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
નિયમ મુજબ ટ્રીટ કર્યા વિનાનું પાણી ખાડીમાં છોડવામાં આવી રહ્યું હોવાછતાં પગલાં નહિ ભરાતા પર્યાવરણની વાટ લગાડનારા તત્વો બિન્દાસ બન્યા છે ટ્રીટ કર્યા વગર કેમિકલ યુક્ત પાણીનો ખાડીમાં નિકાલ કરવાના પ્રકરણમાં હવે જનતા જવાબ માંગે છે અને તેનો તંત્રએ ખુલાસો કરવો જોઈએ તેમ જનતા જનાર્દનમાં માંગ ઉઠવા પામી છે.