સુરતમાં પાંડેસરા વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે અઢી વર્ષની માસુમ બાળકી ગુમ થઇ હતી.જેનું આજે મૃતદેહ મળી આવ્યું છે.પોસ્ટમોર્ટમ બાદ તબીબો દ્વારા જાણવા મળ્યું છે કે બાળકી પર દુષ્કર્મ થયો છે.સડી ગયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહને લઇ હત્યાનું ચોક્કસ કારણ સામે ન આવતા મૃતદેહને લેબમાં મોકલવામાં આવ્યા છે.એવું પણ અનુમાન કરાઈ રહ્યું છે કે બાળકીનું ગળું દબાવીને હત્યા કરાઈ હોય અથવા દુષ્કર્મ દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હોય શકે છે.જેનું ચોક્કસ કારણ રિપોર્ટ બાદ ન કહી શકાય.હાલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
દિવાળીની રાત્રે ઘરઆંગણે રમતી અઢી વર્ષની બાળકી ગુમ થતા જ પોલીસ દોડતી થઇ હતી.100થી વધુ પોલીસ જવાનો બે દિવસથી બાળકીની શોધખોળ કરી રહ્યા હતા.વડોદની ગલી-ગલીએ અને આસપાસના ઝાડી-જંગલમાં શોધી રહ્યા હતા.જ્યારે ગત રોજ વડોદ ગામના ઝાડીમાંથી બાળકીનું મૃતદેહ મળી આવ્યો હતો.જેથી પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.અને અપહરણ અને હત્યાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.આ સાથે બાળકીના મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોકી ઉઠી છે.આ માસુમ બાળકી જે માત્ર અઢી વર્ષની હતી.આ માસુમ સાથે દુષ્કર્મ કરનારે હેવાનિયતની હદ પાર કરી દીધી છે.હાલ નરાધમ આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા હતા. અજાણ્યો નરાધમ આરોપી CCTV કેમેરામાં કેદ પણ થયો છે.