સુરતમાં અમરોલી, છાપરાભાઠા અને વેડરોડ વિસ્તારમાં માલધારીઓ એકત્ર થયા હતા,આજે માલધારીઓ દ્વારા પોતાના તબેલાઓનું દૂધ નહીં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પણ માલધારીઓનું હજારો લીટર દૂધ એક જ જગ્યાએ એકત્રિત કરીને પીલાણ માટે મશીન લગાડી દૂધ ગરીબોને વિતરણ કરવાનું શરૂ કર્યું હતું.
દૂધ પીલાણ દરમિયાન મલાઈ કાઢી ઘી બનાવવામાં આવી રહ્યું છે. આ ઘીના લાડુ બનાવી ગાય અને કૂતરાને ખવડાવીને સરકાર સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવનાર છે. માલધારીઓ પોતાની તમામ માંગોને લઈને મક્કમ જોવા મળી રહ્યા છે.
માલધારીઓ અન્ય 9 મુદ્દાની માંગોને લઈને માલધારીઓ સરકાર સામે વિરોધ યથાવત રાખશે.