સુરતમાં રૂ. 118.42 કરોડના ખર્ચે બનેલા બ્રિજનો એપ્રોચ ભાગ પહેલા વરસાદમાં જ બેસી ગયો હોવાછતાં તંત્ર ઊંઘી રહ્યું છે અને મામલો દબાવી દેવાના પ્રયાસો શરૂ થતાં આ પ્રકરણમાં અનેક અટકળો શરૂ થઈ છે.
સુરતમાં ચોમાસાની શરૂઆત સાથેજ રૂ. 118.42 કરોડના ખર્ચે તૈયાર થયેલા 4 લેનના વેડ-વરિયાવ બ્રિજનો એપ્રોચનો ભાગ બેસી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે.
આ બ્રિજનું એક મહિના અગાઉ જ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જો કે પહેલા વરસાદમાં બ્રિજનો એક બાજુનો ભાગ બેસી જતા એક તરફનો હિસ્સો વાહન વ્યહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
ગત 18મી મેના રોજ રૂ. 118.42 કરોડના ખર્ચે તૈયાર થયેલો વેડ અને વરિયાવને જોડતા દોઢ કિલોમીટર લંબાઈ ધરાવતા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
વેડ-વરિયાવ બ્રિજનો એપ્રોચનો ભાગ બેસી જવાની ઘટનામાં હજુ સુધી પાલિકાએ જવાબદાર અધિકારીઓ કે ઇજારદાર સામે કોઇ કાર્યવાહી કરી નહી કરી મામલો રફેદફે કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.
રાતોરાત બ્રિજની રિપેરિંગ કામગીરી કરી દેવામાં આવી છે.
118 કરોડના ખર્ચે સાકાર થયેલા વેડ-વરિયાવ બ્રિજનો એપ્રોચનો ભાગ બેસી જવાની ઘટનામાં હજુ સુધી પાલિકાએ જવાબદાર અધિકારીઓ કે ઇજારદાર સામે કોઇ કાર્યવાહી કરી નથી. હવે મામલો રફેદફે કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. રાતોરાત બ્રિજ રિપેરિંગ કામગીરી કરી દેવામાં આવી છે. હવે પાલિકાએ ઇજારદાર પાસેથી વહીવટી ચાર્જ વસૂલવા માટે કવાયત હાથ ધરી છે. બ્રિજ રિપેરિંગમાં થયેલો ખર્ચ વસૂલાશે.
આ ઉપરાંત 5 વર્ષનો લાયબિલિટી પિરિયડ હોવાથી દર વર્ષે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મેળવાશે. પરંતુ મહિનામાં જ એપ્રોચ બેસી ગયો હોવા છતાં ઈજારદાર, પીએમસી તેમજ જવાબદાર અધિકારી સામે કોઈ પગલાં લેવામાં નહિ આવતા સવાલો ઉઠ્યા છે.
નવો બ્રિજ હોય કોન્ટ્રાક્ટરની 5 વર્ષ સુધી જવાબદારી છે તેથી પાલિકાના અધિકારીઓ હાથ પર હાથ ધરી બેસી ગયા છે,
પરંતુ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી તાકીદે ચકાસણી કરવા સહિતનાં આગોતરાં પગલાં લેવા મુદ્દે કોઈ કાર્યવાહી થઈ નથી.
બીજી તરફ મેયર હેમાલી બોઘાવાલાએ શુક્રવારે સાંજે શહેરના તમામ બ્રિજોની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચકાસવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.