—ભઠ્ઠાના માલિકો સામે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા તંત્રની મિલીભગતની ચર્ચા
સુરત-નવસારી હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર ધમધમતા ઇંટના ભઠ્ઠાઓ અંગે સત્યડેમાં આવેલા અહેવાલો બાદ પણ તંત્ર દ્વારા કોઈ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી. કછોલી, કપ્લેથા અને લાજપોર નજીકના વિસ્તાર સહિત ડાભેલ, આસણા અને ચોખડ ગામ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે ઈંટના ભઠ્ઠાઓ સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભૂસ્તર વિભાગ, ખાણ ખનિજ વિભાગ અને મહેસૂલ વિભાગે પણ પોતાની આંખો બંધ કરી લેત તંત્રના જવાબદાર અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.
ભઠ્ઠાના માલિકો સામે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા મીલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ વિસ્તારમાં નઝીર અને ભૂરા શેઠનો છોકરો કાસીમ સહિતના ઈસમો ભારે ચર્ચામાં આવ્યા છે અને તંત્ર તેઓને છાવરી રહ્યું હોવાનું ચિત્ર સપાટી ઉપર આવ્યું છે.
ગેરકાયદે ચાલી રહેલા ભઠ્ઠાઓમાં ઈંટ પકવવા માટે પોલાસ્ટિક સહીત ઝેરી કેમિકલનો ઉપયોગ થતાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાછતાં તંત્રને આ બધું કેમ દેખાતું નથી તે અંગે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.
આ વિસ્તારમાંખેતીની જમીનનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે, જે રસ્તેથી પસાર થતાં લોકોને આ ભઠ્ઠા નજરે પડે છે પરંતુ જવાબદાર અધિકારીઓની આંખ આડે પડદો આવી જતો હોય તેમ તે લોકોને આવા ભઠ્ઠા નજરે પડતા નથી.
ઈંટના ભઠ્ઠાના ન્યૂસન્સ વચ્ચે મોટા પાયે ગેરકાયદે રીતે માટી ખનન પણ કરવામાં આવી રહ્યું છે તેનાથી ખેતી લાયક જમીનનો ડાટ વળી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં મોટા મોટા ખાડાઓ પડેલા નજરે પડી રહયા છે અહીં ભૂસ્તર વિભાગની કોઈ પરવાનગી વગર માટીખનન થઈ રહ્યું હોવાછતાં કેમ એક્શન લેવાતા નથી તે વાત તપાસનો વિષય બની છે.
મોટાભાગના ઈંટના ભઠ્ઠા ગેરકાયદે હોવાનું કહેવાય છે અને ભઠ્ઠાઓમાં ઈંટ પકવવા માટે ઝેરી કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નહિ આવતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.
આવા ભઠ્ઠા પર ઈંટ પકાવવા માટે જલદ કેમિકલ સહીત ટાયર, કોલસી જેવી હાનિકારક ચીજવસ્તુઓના પણ વપરાશ કરવામાં આવી રહ્યો હોય વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે.
આવા ઈંટના ભઠ્ઠાના માલિકો તમામ નીતિ નિયમો નેવે પર મૂકી ગેરકાયદેસર ભઠ્ઠા રહ્યા છે.
ઇંટના ભઠ્ઠાઓના માલિકો બિન્દાસ્ત રીતે જોખમી કેમિકલનો ઉપયોગ કરી જળ, જમીન અને વાયુમાં પ્રદુષણ ફેલાવી રહ્યા હોય આસપાસના વિસ્તારોમાં ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.
આમ,બિન્દાસ રીતે નિયમોને ઘોળીને પી જનારા ઈંટના ભઠ્ઠા બંધ કરાવવા માટે કયો વિભાગ હવે આગળ આવશે? તે સવાલ હવે જનતા સરકારમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન જવાબદાર નેતાઓને પૂછી રહી છે ત્યારે ગાંધીનગરમાં બેઠેલા આકાઓ આવા ઇંટના ભઠ્ઠા તાત્કાલિક બંધ કરાવે તે જરૂરી છે.