કોરોના માં અનેક લોકો ના મોત થઈ ગયા છે તેમના પરિવાર ના લોકો માં સરકાર સામે નારાજગી છે ત્યારે
સુરતમાં સાંસદ પ્રભુ વસાવાનો વિરોધ થયો છે. પુનાગામમાં આવેલા આઇસોલેટ સેન્ટરની મુલાકાત દરમિયાન તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો છે. સાંસદ પ્રભુ વસાવાનો ભાજપના જ કાર્યકરોએ વિરોધ કર્યો હતો. અગાઉ સુરતના મેયર હેમાલી બોઘાવાલાનો પણ ભાજપના કાર્યકરોએ વિરોધ કર્યો હતો, બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા આજે સુરતના પુણા વિસ્તારમાં તળાવ ખાતે આવેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાત કરવા ગયા હતા ત્યારે ત્યાં હાજર ભાજપના કાર્યકર્તાએ તેમનો ઉગ્ર વિરોધ કરતા સાંસદ પ્રભુ વસાવા વિચિત્ર સ્થિતિ માં મુકાયા હતા. આઇસોલેશન સેન્ટરની મુલાકાત દરમિયાન હાજર પાર્ટી ના જ કાર્યકરો નારાજ જણાયા હતા અને ઉગ્ર શબ્દોથી તેમના રીતસરના ખખડાવી નાખ્યા હતા અને કહ્યું હતું કે, બીજી લહેર પૂરી થઈ ગઈ ત્યારે આવ્યા છો તમને નેતાઓ ને શરમ આવી જોઇએ.
આઇસોલેશન સેન્ટરની મુલાકાત લેવા ગયેલા સાંસદ પ્રભુ વસાવાને મહેશ હિરાપરા નામના વ્યક્તિએ બધાની વચ્ચે જ ખખડાવી નાખ્યા હતા. તેમણે કહ્યું કે, બીજી લહેર પૂરી થઇ ગયા બાદ આવ્યા છો, અત્યાર સુધી તમે ક્યાં હતા, તમને શરમ આવવી જોઈએ. ઇલેક્શનમાં તમારી માટે કામ કરતા લોકોની પણ તમે ચિંતા કરી નથી. કોર્પોરેશનની ચૂંટણીમાં જીવના જોખમે તમારા માટે અમે મતની ભીખ માંગવા નીકળ્યા હતા. મહેશ હિરાપરા ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છે.
આમ હવે લોકો જાણી ગયા છે કે કોઈપણ રાજકીય પાર્ટી હોય પણ જનતા નું કોઈ જ નથી બધા જ સરખા .
Sunday, May 19