સુરત શહેરના સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં પોલીસ સ્ટાફ દ્વારા ઉજવણી કરાતા જે અંગે મીડિયા માં અહેવાલો આવતા પીઆઇ એ.પી.સલયીયા સસ્પેન્ડ કરી દેવાયા છે.
વિગતો મુજબ હાલ કોરોના ની સ્થિતિ દરમિયાન રાતે 9 વાગ્યા સુધીનો સમય વધારવામાં આવ્યો છે અને નવ વાગ્યાના સમય વીતી ગયા બાદ દરેક ને નિયમો નું પાલન કરવાનું હોય છે પણ
પીઆઈની બદલી ઇકો સેલમાં બદલી કરવામાં આવતા સિંગણપોર સ્ટાફ દ્વારાપોલીસ કર્મચારીઓ એ અહીંના કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલયીયાનો વિદાય સમારંભ યોજતા તે સમારોહ નો વિડીયો વાયરલ થતા કરફ્યૂ ના સમય ના સરકારના નિતી નિયમોના ધજાગરા ઉડતા આ ઘટના અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે એસીપી ડી.જે. ચાવડા ને તપાસ ના આદેશ આપી તાત્કાલિક અસર થી પીઆઇ એ.પી.સલયીયા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા આમ બદલી ની જગ્યા એ પીઆઇ ને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો.
Sunday, May 19